ફક્ત કરો આ 4 ઉપાય નસીબ ક્યારેય નહીં છોડે તમારો સાથ

આપણે એવા ઘણાં લોકોને જોઈએ છીએ જે અથાક પરિશ્રમ અને ખૂબ મહેનત કરવા છતાં તેના કોઇ કામ પાર પાડતા નથી. તે લાખ કોશિશ કરે છે છતાં પણ તેના કોઈ કાર્ય પૂરા થતા નથી. ત્યારે આ લોકો મોટેભાગે પોતાના નસીબને કસૂરવાર ઠેરવે છે. જ્યોતિષશાસ્ત્ર ની અંદર આવા લોકો માટે કેટલાક નાના નાના ઉપાયો બતાવવામાં આવ્યા છે જે કરવાથી વ્યક્તિ નો ખરાબ સમય દૂર થઈ જાય છે.

આ ઉપાયો સાંભળવામાં અને કરવામાં ખૂબ સહેલા છે, પરંતુ તેનું ફળ એટલું જ લાભદાયી છે. તો જાણો શું છે આ ઉપાય.

૧. દરરોજ સવારે સ્નાન કર્યા બાદ પીપળાના ઝાડ પાસે અને તુલસીના છોડ પર પાણી ચઢાવો. આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહેશે.

૨. જમવાનું બનાવતી વખતે હંમેશા પહેલી રોટલી ગાય માટે છેલ્લી રોટલી કુતરા માટે બનાવો અને તેને જરૂર ખવડાવો. આમ કરવાથી વ્યક્તિના દરેક દોષો આપમેળે જ દૂર થઈ જશે.

૩. દરરોજ સવારે સ્નાન કર્યા બાદ ઘરમાં રહેલા મંદિર ની સાફ સફાઈ તથા ભગવાનને તાજા ફૂલ અર્પણ કરો. આમ કરવાથી ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.

૪. દરરોજ આસપાસ રહેલા કોઈપણ જળાશય કે નદીમાં રહેલ માછલીઓને લોટની નાની નાની ગોળીઓ ખવડાવો આમ કરવાથી તમારા નસીબ ખુલી જશે.

લેખન અને સંકલન:- દિવ્યા રાવલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *