સાવ મફત મળતી આ ઔષધી ના છે અનેક ફાયદાઓ, ગંભીર રોગોમા પણ ફાયદાકારક…

રસભરી સાવ મફતમાં મળતી ઔષધી છે અને તે તત્વો માં ઘણું કિંમતી પોષક ફળ છે જે ગંભીર રોગોમાં આપે છે ઘણા બધા ફાયદાઓ.રસભરી એક ઘણું પોષ્ટિક ફળ છે. જેને ગુજરાતીમાં મોટી પોપટી પણ કહેવામાં આવે છે. ગામડામાં રહેતા લોકેને તરત ખ્યાલ આવી જશે. નાનપણમાં એમણે બહુ ખાધી હશે જ.

આ વનસ્પતિમાં એટલા આરોગ્યવર્ધક અને રોગનિવારણ ગુણ છે કે તેનો ઉપયોગ ન કરવો, આરોગ્ય પ્રત્યે એક મોટી ખોટ છે.રસભરીના વિશ્વ આખામાં જુદા જુદા નામ છે.તેનું વાનસ્પતિક નામો (Physalis peruviana, કે પ્રચાયવાચી Physalis tomentosa, Physalis puberula, Physalis latifolia નામથી જોડાયેલા હોવાને કારણે, ફાઈસૈલિસ (Physalis) નામ સૌથી વધુ પ્રચલિત નામ છે.

જુદા-જુદા દેશોમાં જુદા-જુદા નામે આને ઓળખવામાં આવે છે જેમકે Cape gooseberry, Golden berry, Peruvian Ground Cherry, Poha, Poha Berry વગેરે. ભારતમાં રસભરીને મકાઓ, રસપરી, ટેપારિયૌ, તીપારી, બુદહેડન્નુ, ડોડડાબડ, પોપટી, ચોબોર્ટ, ફોપતી, કુંતલિ, ટંકારી, તંકાસી, ભોલા, પોપ્તીપલ્લમ, બુડડાબુસરા, બુસરતાયા વગેરે સ્થાનિક નામોથી ઓળખાય છે.

પોષક તત્વોનો ભંડાર એવી રસભરી ઘણા પ્રકારની હોય છે, જેમ કે મનગમતી સંતરી. જે ૧૪૦ ગ્રામના ખાવાના પ્રમાણમાં આપણી રોજની જરૂરિયાતના વિટામીન B3 ૨૪.૫૦ ટકા, વિટામીન C 17.૧૧ટકા એટલે લીંબુ કરતા બમણું, વિટામીન B1 ૧૨.૮૩ ટકા અને આયરન ૧૭.૫૦ ટકા સુધી મળી રહે છે.

તે ઉપરાંત તેમાં પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામીન A અને B2 પણ વધારે પ્રમાણમાં રહેલા છે. તેમાંથી મળતા વિશેષ વાનસ્પતિક રસાયણ જ તેને શ્રેષ્ટ બનાવે છે. જેમાં physalins, anthocyanins, alkaloids, withanolides અને flavonoids મુખ્ય છે. તો આવો જાણીએ, શું છે રસભરીના ફાયદાઓ ? તેનાં લાભ અને ગુણ જે તેને પશ્ચિમી સંસ્કૃતિમાં એક શ્રેષ્ઠ સ્થાન આપાવે છે…

૧. લીવર અને કીડનીનું રક્ષણ

લીવર અને કીડનીનું fibrosis એવો રોગ છે. જેમાં અંગોમાં રેશા ફેલાતા જાય છે. એક શોધ પ્રમાણે સિધ્ધ કરવામાં આવ્યું કે રસભરીનો ઉપયોગ ન માત્ર એ રોગો સામે લડે છે પણ તેનાથી બચાવે પણ છે.

૨. શ્રેષ્ઠ એન્ટીઓક્સીડેંટ

પશ્ચિમી દેશોમાં રસભરીનો ઉપયોગ લીવરના રોગોમાં, મેલેરિયા, ગઠીયાવાં અથવા આર્થરાઈટીસ, અસ્થમા, ચર્મરોગ અને કેન્સર જેવા ભયંકર રોગોમાં કરવામાં આવે છે. વૈજ્ઞાનિક શોધ સિદ્ધ કરે છે કે રસભરીમાં એન્ટીઓક્સીડેંટસ હોવાને કારણે જ તે ગુણ મળી શકે છે.

૩. આર્થરાઈટીસના રોગમા રાહત

નીયાસીન અથવા વિટામીન B૩ રુધિર ને દરેક અંગમાં લાવવાની ક્ષમતા રાખે છે. જયારે દરેક અંગમાં લોહી યોગ્ય રીતે પહોચશે તો આર્થરાઈટીસ જેવા રોગ ફેલાઈ શકતા નથી. રસભરીમાં નીયાસીનના વધારાને કારણે તેને આર્થરાઈટીસ માટે રામબાણ ઈલાજ ગણવામાં આવે છે.

૪. સમજણ-ઓળખની ખામીમા ફાયદાકારક

ઉંમરના જેમ-જેમ વધે તેમ-તેમ આપળી સમજણ અને ઓળખ-તંત્ર માં પણ એક પ્રકાર ની ખામી થાય છે, જેને કારણે આપણેને સમજવા, ઓળખવા અને યાદ રાખવામાં તકલીફ થવા લાગે છે. વધતી ઉંમરના આ રોગમાં Alzheimer’s disease અને સ્મૃતિભ્રંશ (dementia) મુખ્ય હોય છે.

રસભરી ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેંટસ થી ભરપુર હોય છે, જેમાંથી થોડા વિટામીન C ઉપર આધારિત હોય છે અને આ એન્ટીઓક્સીડેંટસ વધતી ઉંમર ને અટકાવે છે અને સમજણ ઓળખાણમાં થતી ખામી થી પણ બચાવે છે.

૫. ઉત્તમ દ્રષ્ટિ માટે

ઉત્તમ દ્રષ્ટિનું અનુભવ તેજ વ્યક્તિ જાણી શકે કે જે તેનાથી વંચિત હોય કે અસર-ગ્રસ્ત હોય. ઉત્તમ દ્રષ્ટિ માટે વિટામીન A ઘણું જરૂરી છે. રસભરીમાં તે સર્વોધિક પ્રમાણમાં મળી આવે છે. જે આપણેને દ્રષ્ટિ સબંધી વિકારો અને બીજા જેવા રતાંધળાપણાથી બચી શકે છે.

૬. હ્રદય રોગમા ઉપયોગી

રસભરીમાં વિટામીન B1 જેને થાયમિન (Thiamin) કહે છે, વધારે માત્રા માં મળે છે. આ વિટામીન acetylcholine ની બનાવવા માટે ઉપયોગી છે. જે આપણી કોશિકાઓમાં એક બીજા સાથે સંવાદ સ્થાપિત કરવા માટે લેવામાં આવે છે. પણ કોશિકાઓનો એક બીજા સાથે સંવાદ બગડે છે ત્યારે જ હ્રદય રોગ જેવા જટિલ રોગો ઉત્ત્પન્ન થાય છે. B1 થી પરિપૂર્ણ હોવાને કારણે રસભરી હ્રદય રોગ થી બચવામાં આપણી મદદ કરે છે.

૭. ગર્ભકાળમા ઉપયોગી

ગર્ભકાળમાં બાળકના સારા વિકાસ માટે, પ્રસુતા મહિલાઓની આયરન ની માંગ વધી જાય છે. તેને લગભગ ૨૭ mg આયરન રોજ જરૂરી હોય છે. આ આયરનની ભરપાઈ અનાજ, ફળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સુકા મેવાથી કરી શકાય છે. આહારમાંથી મળતા આયરનનું પ્રમાણ રસભરીના ઉપયોગથી વધારી શકાય છે.

રસ ભરીનો લોકો માટે શરુઆતનો ઉપયોગ

કેરલના શોલા જંગલોમાં રહેતા મુથુવન જનજાતિ, રસભરીનો ઉપયોગ કમળો અથવા jaundice ના ઉપચાર માટે કરે છે. કોલંબિયાના લોકો તેના પાંદડાની રાબનો ઉપયોગ દમના રોગ માટે અને મૂત્રલ ઔષધી તરીકે કરે છે. સોજા ના ઉપચાર માટે, દક્ષીણ આફ્રિકામાં તેના પાંદડાને ગરમ કરીને શેક આપવામાં આવે છે.આફ્રિકાની જુલુ જનજાતિ તેના પાંદડાના આવસનો ઉપયોગ બાળકોના પેટ સબંધી રોગો માટે કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

પાકી ગયેલ ફળનો સીધો ઉપયોગ કરો. ફ્રુટ સલાડ તરીકે તાજા, કે જેમ કે ચટણી, સોસ બનાવીને તેનો ઉપયોગ આખું વર્ષ કરી શકાય છે. આઈસ્ક્રીમ કે કસ્ટર્ડ બનાવટોમાં ભેળવીને ઉપયોગમાં લઈ શકાય છે. ફળને સુકવીને સુકી દ્રાક્ષ બનાવીને આખું વર્ષ ઉપયોગ કરી શકાય છે. જેમ કે દ્રાક્ષ, આલુભુખારા, પલ્મ, ખુમાની વગેરે બનાવી શકાય છે.

એક સાવચેતી:

રસભરી Solanaceae જાતી સાથે સબંધ દર્શાવે છે. આ જાત ના બીજા સભ્યો બટેટા, ટમેટા, રીંગણ વગેરે હોય છે. રસભરી અને તેની જાતના કોઈ પણ શાક કે ફળને, જે લીલા કાચા હોય, ન ખાવા જોઈએ કેમ કે કાચા રહેવાથી તે ઝેરીલા હોય છે પણ જયારે પકાવામાં કે ઉકાળવામાં તો તેનું ઝેર દુર થઇ જાય છે.

શારાંશ :

રસભરી એક ખુબ જ પ્રયાપ્ત માત્રા માં મળવા વાળું ફળ છે, જે ઘણું ફાયદાકારક અને ગુણોથી ભરપુર છે. તેનો વધુ ઉપયોગ આપણેને ઘણા રોગોથી બચવામાં મદદ અને પોષ્ટિકતા આપે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *