નમસ્કાર મિત્રો જ્યારે મટર પનીર બનાવવાની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો આ શાક ઘરે બનાવતા નથી કેમકે લોકોનું માનવું એવું છે કે બજારમાં મળતું મટર પનીરનું શાક જેટલું સ્વાદિષ્ટ હોય છે. તેટલું જ સ્વાદિષ્ટ શાક આપણે ઘરે બનાવી શકતા નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ રેસ્ટોરન્ટ જેવું સ્વાદિષ્ટ શાક ઘરે બનાવવાની રેસીપી.
સામગ્રી
- 150 ગ્રામ પનીર
- સો ગ્રામ વટાણા
- બે ઝીણી સમારેલી ડુંગળી
- 2 ઝીણા સમારેલા ટમેટા
- બે ઝીણી સમારેલા લાલ મરચા
- ચારથી પાંચ ચમચી આદુ-લસણની પેસ્ટ
- 1 મોટો ચમચો તેલ
- અડધી ચમચી જીરૂ
- એક ચમચી લાલ મરચુ પાઉડર
- એક ચમચી ધાણાજીરું પાઉડર
- એક ચમચી હળદર
- 2 ચમચી ગરમ મસાલો
- એક ચમચી આમચૂર પાઉડર
- સ્વાદ અનુસાર મીઠું
- ઝીણી સમારેલી ધાણા ભાજી
બનાવવાની રીત
- સૌ પ્રથમ એક ગેસ પર કડાઈ મૂકી તેની અંદર તેલ ગરમ કરવા મુકો અને જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારબાદ તેની અંદર ડુંગળી અને ટમેટા ઉમેરી બરાબર પાકવા દો
- હવે જ્યારે ડુંગળી અને ટમેટા બરાબર પાકી જાય ત્યારબાદ તેની અંદર આદુ અને લસણની પેસ્ટ ઉમેરી તેને મધ્યમ આંચ પર પાકવા દો
- ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સરમાં પીસી લો અને તેને ઠંડુ થવા માટે રાખી દો
- હવે ગેસ પર કડાઈ પર થોડું તેલ ગરમ કરી તેની અંદર ધીરુ ઉમેરી તેને બરાબર સાતળો ત્યારબાદ તેની અંદર લાલ મરચું પાઉડર ઉમેરી અગાઉથી પેસ્ટ બનાવેલ ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી દો
- ત્યારબાદ તેની અંદર ધાણા-જીરુ પાવડર હળદર આમચૂર પાઉડર ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો ધીમી આંચ પર પાકવા દો
- ત્યારબાદ તેની અંદર પનીર અને વટાણાનો ઉમેરી દો અને જરૂર મુજબનું થોડું પાણી ઉમેરી બરાબર હલાવી લો
- જો તમારે એકદમ ગ્રેવીવાળું શાક ખાવું હોય તો તેમાં વધુ માત્રામાં પાણી પણ ઉમેરી શકો છો
- હવે ધીમી આંચ પર પનીર અને વટાણાનો થોડાં પાકવા દો અને ત્યારબાદ તેમાં ઉપરથી ધાણાજીરું પાવડર અને ધાણા ભાજી ઉમેરી દો
- બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મટર પનીર નું શાક
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.