ઘરમાં ક્યારેય ન લાવવી આ વસ્તુઓ.. થશે આવા અનેક નુકસાન.

આજના સમયમાં લોકો પોતાના ઘરમાં સુશોભન કરવા માટે જાતજાતની વસ્તુઓ ઘરે લાવતા હોય છે. તે બજારમાં પોતાને સારી લાગતી દરેક વસ્તુ પોતાના ઘરે લાવી અને ઘરની સજાવટમાં રાખી દેતા હોય છે. પરંતુ ઘણી વખત લોકો એ વસ્તુ જાણતા નથી કે, તે જાણે-અજાણે આપણે ઘરમાં એવી વસ્તુ લાવીએ છીએ. કે જેને કારણે ઘરની અંદર વાસ્તુ દોષ લાગી શકે છે.

વાસ્તુશાસ્ત્ર ની અંદર ઘણી વસ્તુઓ વિશે બતાવવામાં આવ્યું છે. કે જો તેને ઘરની અંદર લાવવામાં આવે તો તમારા ઘરની અંદર અશાંતિ નો વાસ થાય છે. અને ઘરની અંદર ખરાબ સમય શરૂ થાય છે. ઘણી વખત તમે તમારા ઘરના સુશોભન માટે આ વસ્તુઓ લાવતા હોવ છો. પરંતુ તમને એ વાતની ખબર નથી હોતી કે, આ સુશોભનની વસ્તુ તમારા ઘરમાં લાવી શકે છે અશાંતિ.

આથી બજારમાંથી કોઈપણ સુશોભનની વસ્તુ અથવા તો દીવાની તસવીર લેતી વખતે ખાસ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. જેથી કરીને તમારા ઘરમાં વાસ્તુ દોષ ન લાગે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ અમુક વસ્તુઓ વિશે કે, જેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

 

 

ડૂબતું જહાજ

ઘણા લોકો પોતાના ઘરની સજાવટ માટે જહાજની તસવીરો લાવતા હોય છે. પરંતુ ઘણી વખત લોકો ભૂલભૂલમાં જ કોઈ તૂટેલા જહાજ અથવા તો ડુબતા જહાજની તસવીરો લાવતા હોય છે. આવી તસવીરો ઘરની અંદર લાવવાના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. અને તમારી પ્રગતિ અટકી જાય છે.

 

પહાડ પરથી પડતા ધોધનું ચિત્ર

ઘણા લોકો પોતાના ઘરની અંદર કુદરતી દ્રશ્ય ધરાવતા ચિત્રો લાવતા હોય છે. પરંતુ આ ચિત્ર ની અંદર કોઈપણ જગ્યાએ ધોધ અથવા તો ફુવારા નુ ચિત્ર ન લાવવું જોઈએ. કેમ કે, આવું ચિત્ર તમારા ઘરની અંદર લગાવવાના કારણે તમારા ઘરના સદસ્યો દ્વારા વધારાના ખોટા ખર્ચા ની શરૂઆત થઇ જાય છે. અને તમારા ઘરની ધનહાનિ થાય છે.

 

યુદ્ધ ની તસવિર

વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર ઘરમાં ક્યારેય પણ યુદ્ધ કરતા વ્યક્તિઓની તસવીર ન લાવવી જોઇએ. ઘણા લોકો પોતાના ઘરમાં મહાભારત ની તસ્વીરો લગાવતા હોય છે. પરંતુ આવું લગાવવાના કારણે ઘરની અંદર આંતરિક ઝઘડાઓ વધી જાય છે.

 

તાજમહેલ

ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર તાજમહેલને પ્રેમની નિશાની માનવામાં આવે છે. પરંતુ તાજમહેલ હકીકતમાં એક કબર છે. આથી ક્યારેય પણ ઘરની અંદર તાજમહેલ નું ચિત્ર કે તાજ મહેલ ની મૂર્તિ ન લાગવી જોઈએ. કેમ કે, તે તમારા ઘરની અંદર કબ્રસ્તાન લાવવા સમાન છે.

 

પૌરાણિક ઘટનાઓની તસવીરો

તમારા ઘરની દિવાલ ઉપર ક્યારે કોઈપણ જાતના  પૌરાણિક ઘટનાઓ નો ચિત્ર ન લગાવવું જોઈએ. કેમ કે, આમ કરવાના કારણે તમારા ઘરમાં વાસ્તુ દોષ લાગે છે. અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થતો નથી.

 

શસ્ત્રોની તસવીરો

ઘણા લોકોને પોતાના ઘરમાં અવનવા શસ્ત્રો રાખવાની ટેવ હોય છે. પરંતુ જ્યારે તેને આવા શસ્ત્રો મળતા નથી ત્યારે તે તેના ચિત્રો લાવે છે. પરંતુ આવા ચિત્રોના કારણે વ્યક્તિની માનસિકતા હિંસક બની જાય છે. અને ઘરની સુખ-શાંતિ દૂર થઈ જાય છે.

 

આથમતા સૂર્ય ની તસવિર

ઘરમાં ક્યારેય પણ ડૂબતા સૂર્યની તસવીર ન રાખવી જોઈએ. કેમકે, તે ઘરની અંદર નેગેટીવ ઉર્જા આવે છે. તથા ઘરના સમૃદ્ધિનો નાશ કરે છે.

 

ભગવાનની ખંડિત મૂર્તિ

તમારા ઘરમાં ક્યારેય પણ ભગવાનની ખંડિત મૂર્તિ કે ફાટેલી તસવીર ન રાખવી જોઈએ. કેમ કે, આમ કરવાથી તમારા ઘરમાં વાસ્તુ દોષ લાગે છે. અને આથી તમારા ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે. આથી જો ઘરમાં કોઈ પણ ભગવાનની ખંડિત મૂર્તિ હોય તો તેને પાણીમાં પધરાવી જોઈએ. અને ફાટેલ ફોટો હોય તો તેને પણ પાણીમાં પધરાવી દેવો જોઈએ.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago