વાસ્તુ શાસ્ત્ર ની અંદર આપણું મકાન બનાવવા માટેની અનેક ટિપ્સ આપવામાં આવી છે અને જો એ અનુસાર આપણું મકાન બનાવવામાં આવે તો આપણા ઘરમાં વાસ્તુદોષ લાગતો નથી અને આપણા ઘરના લોકો કાયમી માટે સ્વસ્થ રહે છે. પરંતુ જો ઘર બનાવતી વખતે તેમાં અમુક વસ્તુઓની ખામી રહી ગઈ હોય તો તમને વાસ્તુ દોષ લાગે છે. જેથી તમે તથા તમારા ઘર પરિવારના લોકો કામ માટે રહી શકો છો બીમાર.
પરંતુ એક વખત ઘર બની ગયા બાદ જો આપણને ખબર પડે કે આ ઘર બરાબર યોગ્ય રીતે બનેલું નથી તથા ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમો નું પાલન થતું નથી ત્યારે આપણે આ ઘર ફરીથી તોડીને ઠીક કરવા બેસતા નથી પરંતુ આપણે જરૂર છે. અમુક એવા ઉપાય કરવાની કે જેથી તમારા મકાનમાં વાસ્તુદોષ પણ થશે દૂર. આ માટે તમારે જરૂર છે આ ખુબ સરલ ટીપ્સ અપનાવવાની. તો ચાલો જાણીએ શું છે આ વાસ્તુદોષ નિવારણ માટેની ટીપ્સ.
-વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પણ રસોડાની સામે બાથરૂમ ન હોવું જોઈએ અને જો તમારા ઘરમાં રસોડાની સામે બાથરૂમ પડતું હોય તો તેની જગ્યા બદલાવાની જગ્યાએ તમે તેની સામે એક પરદો લગાવી શકો છો. આમ કરવાથી તમને આ વાસ્તુ શાસ્ત્ર નો દોષ લાગતો નથી.
-ઘરમાં કે ઘરની છત પર કોઈ જગ્યાએ વધારાનો સામાન પડ્યો હોય તો તેને તુરંત હટાવી દેવો જોઈએ. જેથી તમને વાસ્તુદોષ લાગતો નથી.
-તમારા ઘરના મુખ્ય દ્વાર પર જો માતા લક્ષ્મી, ભગવાન ગણેશ, સ્વસ્તિક, ઓમ કે અન્ય મંગળ ચિહ્નો લગાવવાથી પણ તમારા ઘરનો વાસ્તુદોષ દૂર થશે.
-જો વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર તમારા ઘરના પશ્ચિમ દક્ષિણ ખુણાની અંદર વાસ્તુદોષ હોય તો તેને દૂર કરવા માટે તે જગ્યાએ એક નાનો એવો નાઈટલેમ્પ લગાવી દેવો અને તેને કાયમી માટે શરૂ રાખવું આમ કરવાથી તે જગ્યાનો વાસ્તુદોષ દૂર થાય છે.
– જો ઘરમાં ચોમાસાની ઋતુમાં કે અન્ય કોઈ ઋતુમાં બારી ને દરવાજા ખોલવામાં અવાજ આવતો હોય તો તેને તુરત જ દૂર કરવો જોઈએ. કેમકે, દરવાજામાંથી આવતા અવાજ તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો સંચાર કરે છે.
આમ તમારા ઘરમાં જો આ અમુક સરળ ટિપ્સ અપનાવવામાં આવે તો તમે પણ તમારા ઘરના નકશા ને બદલ્યા વગર કે ઘરમાં કોઈ પણ જાતની તોડફોડ કર્યા વગર છુટકારો મેળવી શકો છો વાસ્તુદોષથી. તો આજે જ કરો આ ઉપાય અને પછી જુઓ તેના કમાલ તમે એને તમારો ઘરપરિવાર કાયમી માટે રહી શકશો સ્વસ્થ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…