સંપતિ દરેક માણસની પ્રથમ પસંદગી હોય છે અને આપણે ઈચ્છીએ છીએ કે, આપણી પાસે અઢળક ધન હોય, ધનની પ્રાપ્તિ કરવા વ્યક્તિ શું શું નથી કરતો, પરંતુ આખો દિવસ તનતોડ મહેનત કર્યા બાદ પણ ઇચ્છિત ફળ મળતું નથી, એવામાં આજે અમે તમને એક એવો ધાર્મિક ઉપાય બતાવીશું જે તમને માલામાલ બનાવી શકો છો.
કબૂતર એક એવું પક્ષી છે જે માણસની જેમ હજારો વર્ષો પહેલા પણ દુનિયામાં હયાત હતું. કબૂતરને ચણ નાખવી એક પુણ્યનું કામ છે, અને કબૂતરોને દાણા ખવડાવવા લોકોને ગમે પણ છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે ઘરમાં પૈસાની ઉણપ દૂર કરવાની સાથે ઘરનું વાતાવરણ શાંતિમય બનાવવા માટે જો તમે કબૂતરના પંખને સફેદ કપડામાં વીટી ને લાલ દોરી થી બાંધી લો, ત્યારબાદ તેને પોતાના પૈસાની તિજોરીમાં મૂકીદો. બસ આટલું કરવાથી થોડાક દિવસોમાં તમારી તમામ મનોકામનાઓ પુરી થઈ જશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને ૧૦૦ ટકા સફળતા મળશે.
એ સિવાય કબુતર ને શાંતિદૂત માનવમાં આવે છે. માટે એવી પણ માન્યતા છે કે કબુતર નું પીછું ઘરમાં રાખવાથી ઘરમાં હમેશા શાંતિ ભર્યું વાતાવરણ બની રહે છે. અને તમામ પ્રકારના આંતરિક કલેશ દુર થાય છે.