તમારા શરીર ને સ્વસ્થ રહેવા માટે દરેક પ્રકાર ના પોષક તત્વો ની જરૂરિયાત હોય છે.જો આપણે તે પૂરતા પ્રમાણમાં મળે તો શરીર ઘણીબધી બીમારીઓ થી બચી શકે છે.આ પોષક તત્વો માંથી પોટેસીયમ નામનું તત્વ પણ હોય છે. જો આ પોટેસીયમ ની ઉણપ તમારા શરીર ની અંદર થાય તો ઘણીબધી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. જે વ્યક્તિઓ શાકાહારી છે એવા લોકોમાં આ પોષક તત્વ ની ઉણપ સૌથી વધુ જોવા મળે છે. જેના લીધે આવા વ્યક્તિઓ તણાવ નો પણ સામનો કરવો પડે છે.
આજ અમે તમને જણાવશું કે કેવીરીતે શરીર ની અંદર પોટેસીયમ ની ઉણપ ઉભી થાય છે. અને તમને કઈ કઈ સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.
સ્નાયુઓ નબળા પડી જાય છે
જો કોઈ વ્યક્તિ ને થોડા થોડા દિવસે સ્નાયુ નો દુખાવો થતો હોય તો તેમના શરીર ની અંદર પોટેસીયમ ની અછત હોવાના સંકેત છે. જો શરીર ની અંદર પોટેસીયમ ની ઉણપ થાય તો સ્નાયુઓ ના દુખાવા નો સામનો કરવો પડી શકે છે.
શરીર ના અલગ અલગ ભાગમાં ઝણઝણાટ થવી.
તમારા માંથી ઘણા લોકો એ એવાત પર ધ્યાન આપ્યું હશે કે ક્યારેક ક્યારેક આપણને ઝણઝણાટ થવા લાગે. આ પોટેસીયમ ના કારણે થાય છે કેમકે પોટેસીયમ આપણા નર્વસ સીસ્ટમ ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
માનસિક તણાવ
જો કોઈ વ્યક્તિ ના શરીર માં પોટેસીયમ ની ઉણપ થાય તો એને માનસિક તણાવ નો સામનો કરવો પડી શકે છે. અને ઘણીવાર કોઈ વ્યક્તિ હમેશ તણાવ માં રહેવા લાગે છે.અને ખુબજ પોટેસીયમ ની ઉણપ ને લીધે વ્યક્તિ ને અપચો થવાની પણ સંભાવનાઓ થાય છે. જો શરીર ની અંદર પોટેસીયમ ની ઉણપ થાય તોપાચન પ્રક્રિયા સારી રીતે થતી નથી.
હૃદય ના ઘબકરા વધે છે.
જે વ્યક્તિ ના શરીર ની અંદર પોટેસીયમ ની ઉણપ હોય તેનું હૃદય સામાન્ય વ્યક્તિ કરતા થોડી વધુ ઝડપે ઘડકે છે. કેમકે પોટેસીયમ ની ઉણપ ના કારણે હૃદય ની માંસપેશીઓ માં સંકોચન આવે છે.
વ્યક્તિ ને આવવા લાગે છે ટેન્શન
જો વ્યક્તિ ના શરીર ની અંદર પોટેસીયમ ની ઉણપ હોય તો તેની રક્તવાહીની માં સમસ્યા આવા લાગે છે અને મગજના રક્ત સંચારમાં ખલેલ પહોચે છે. જેના લીધે વ્યક્તિ ની વિચારવાની અને સમજવાની શક્તિ માં ઘટાડો થાય છે.
ઉબકા આવવા
જો વ્યક્તિ ના શરીર ની અંદર પોટેસીયમ ની ઉણપ થાય તો તેને ઉબકા આવવા લાગે છે જેના પરથી તમે જાણી શકો છો કે તમારા શરીર ની અંદર પોટેસીયમ ની ઉણપ થઇ છે માટે જલ્દીથી બની શકે એટલો પોટેસીયમ થી ભરપુર ખોરાક લેવો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.