આજ ના સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેના જીવન ની અંદર આંનદ અને ઉલ્લાસ ભરપુર રહે અને સમસ્યાઓ આવે નહિ પણ આવું કોઈક જ વ્યક્તિ સાથે થતું હોય છે આજ આપણા જીવન માં આંનદ માટે ઘણીબધી મહેનત કરવી પડે છે. અને ઘણા ના તો અથાગ પ્રયત્નો કરવા છતાં આંનદ અને ઉલ્લાસ ને પ્રાપ્ત કરી શકતો નથી. પણ આ મુશ્કેલીઓ ઘણા સમય માટે રહેતી નથી છતાં પણ એ નક્કી નથી કરી શકતો કે શું કરવું અને શું ના કરવું.
હમેશ માટે નથી આવતો ખરાબ સમય
દરેક વ્યક્તિએ એ બાબત નું ધય્ન રાખવું જોઈએ કે જીવન ની અંદર ખરાબ સમય હમેશ માટે નથી હોતો સારો સમય ટુક સમય ની અંદર પાછો આવેજ છે.ઘણા ની કુંડળી ની અંદર ગ્રહો નો પ્રભાવ હોય છે જેના કારણે તેનો ખરાબ સમય ચાલતો હોય છે.તો એવા વ્યક્તિઓ માટે લાવ્યા છીએ ઉપાયો જેનાથી તમારો ખરાબ સમય દુર થશે.
સવારે ઉઠીને સૌથી પહેલા તમારા ઇષ્ટદેવ ને પગે લાગો અને આજ નો દિવસ સારો જાય એવી પ્રાથના કરો. આવું કરવાથી તમારામાં સકારાત્મકતા નો વધારો થશે.
ક્યારે પણ દિવસમાં ઘર માંથી બહાર જાઓ તત્યારે કશુક જમીને નીકળો, સોમવારે ઘરમાંથી બહાર જતા પહેલા અરીસામાં મોઢું જોઈ ને જાઓ, મંગળવારે મીઠાઈ ખાઈ ને નીકળો,બુધવારે લીલા ધાણા ની કેટલીક પાંદડીઓ ખાઈ ને નીકળો,ગુરુવારે સરસો નું દાન કરો.શુક્રવારે દહીં તેમેજ શનિવારે તેલ થી બનેલી વાનગી જમીને નીકળો. આવું કરવાથી ખરાબ સમય જલ્દી દુર થાય છે.
મંગળવારે હનુમાનજી ના મંદિરે જઈ મીઠું પાન ચડાવો અને તેલ નો દીવો કરી હનુમાન ચાલીશા નો પાઠ કરો.
જો શક્ય હોય તો રોજ ગરીબોમાં ગોળ ચણા કે પછી લક્ષ્મી નું દાન કરો આવું કરવાથી પરિવાર માં બરકત આવશે. અને ગરીબો ની દુવા પણ મળશે.
જીવનમાં સુખમેળવવા કોઈ મંદિર કે બીજી જગ્યાએ પીપડા નું જાડ વાવો અને તેની રોજ દેખભાળ કરો
સુવાથી પહેલા રૂમ ની અંદર થોડું કપૂર પ્રગટાવો જેથી તેની સુગંધ રૂમ ની નકારાત્મકતા ને દુર કરેશે.
ખરાબ નજર થી બચવા દિવસમાં બે વાર એક રોટલી લઇ એને તમારા મસ્તિષ્ક ઉપર 11 વાર ફરવી કોઈ કુતરાને ખવડાવી દો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.