હળદરવાળા દૂધને લગભગ મોટાભાગના વ્યક્તિઓએ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કીધું જ હશે. કેમ કે જ્યારે લોકો ને શરદી, ઉધરસ, તાવ કે કોઈ પણ જાતનો દુખાવો થતો હોય કે તરત જ આપણા ઘરમાંથી હળદરવાળું દૂધ પીવાનું કહેવામાં આવે છે અને આ દરેક રોગો ની અંદર આવું હળદરવાળું દૂધ પણ રામબાણ ઇલાજ સાબિત થાય છે.
કેમકે આ હળદરવાળા દૂધનું સેવન કરવાના કારણે તમારું લોહી પણ એકદમ પતલું થઈ જાય છે. અને તે તમારા શરીરની અંદર અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે પરંતુ આ હળદરવાળા દૂધનું સેવન અમુક લોકોએ ક્યારેય પણ ન કરવું જોઈએ. કેમકે આ હળદરવાળું દૂધ જો આવા લોકો સેવન કરશે તો તેને તેના કારણે ફાયદો થવાની જગ્યાએ થઈ શકે છે નુકસાન. તો ચાલો જાણીએ કોણ છે એ વ્યક્તિઓ કે જેણે ક્યારેય પણ હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ.
જે લોકો ને પિતાશયની અંતર પથરી થઈ હોય તેવા વ્યક્તિઓએ ભૂલથી પણ હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઇએ. આ ઉપરાંત હરસ ના દર્દીઓએ પણ ત્યારે હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ કેમ કે આમ કરવાના કારણે તેની તકલીફમાં વધારો થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓએ પણ ક્યારેય પણ હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ.
હળદર ની અંદર કરક્યુમિન નામનું એક રાસાયણિક પદાર્થ હોય છે. જે તમારા શરીરની અંદર રહેલ સુખને પ્રભાવિત કરે છે જો વધુ માત્રા ની અંદર આવા હળદરવાળા દૂધનું સેવન કરવામાં આવે તો તમારા શરીરની અંદર લોહીની ઉણપ સર્જાય છે. આ ઉપરાંત તમારા શરીરની અંદર રહેલ બ્લડસુગર પણ ઘટી જાય છે જેને કારણે લોકોને ડાયાબિટીસ જેવી સંભાવનાઓ થઈ શકે છે. આ ઉપરાંત શરીરની અંદર લોહી ઘટવાના કારણે અનેક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.