રસોડામાં રસોઈ બનાવતી વખતે કેટલીક ખાસ ટિપ્સ અપનાવો અને ભોજન સ્વાદિષ્ટ બનાવો તથા સમય પણ બચાવો.
તો હવે જાણીએ આવી જ કેટલીક ટિપ્સ કે જેનાથી ભોજનનો સ્વાદ અને તાજગી બને લાંબા સમય સુધી તાકી રહેશે.
– જો રોટલી ને લાંબા સમય સુધી નરમ બનાવી રાખવી હોય તો રોટલી રાખવાના વાસણ માં રાખો આદુ ના થોડા કટકા.
– જો તમારે ભજીયા ને ક્રીશ્પી (કુરકુરિયા) બનવા માંગતા હોય તો એમાં મકાઈ નો લોટ અથવા ચોખા નો લોટ ઉમેરો.
– ભીંડાની ચિકાસ દૂર કરવા માટે શાક બનાવતી વખતે તેમાં થોડો લીંબુનો રસ અથવા અડધી ચમચી આમચૂર નો પાઉડર ભેળવી દો. તેનાથી ભીંડા માં રહેલી ચિકાસ દૂર થઈ જશે.
– કડવા કારેલા ની કડવાશ દુર કરવા માટે તેને સમારી લીધા પછી તેમાં નિમક ઉમેરી અડધો કલાક માટે રહેવા દો, કરેલા ની કડવાશ થઈ જાશે દુર.
– લીલા શાકભાજી ને ક્યારેય પ્લાસ્ટીક ની થેલીમાં ના રાખવા જોઈએ, તેનાથી શાકભાજી જલ્દી થી ખરાબ થાય જાય છે.
– પૂરી અથવા ભજિયા તળતી વખતે તેલમાં ચપટી એક મીઠું ભેળવી દો. તેનાથી ભજિયા માં ઓછું તેલ શોષશે અને તેલની બચત પણ થઈ જાશે.
– ઈડલી ને નરમ રાખવા માટે ઈડલી નું ખીરું બનાવતી વખતે તેમાં રાંધેલા ભાત ઉમેરો.
આ માહિતી મિત્રો સાથે જરૂર share કરજો