જાણો અજમાથી થતાં ફાયદાઓ :
અજમાથી પાચનશક્તિ મજબૂત થાય છે. અજમાથી ઉલટીમાં રાહત મળે છે. અજમો ગર્ભાવસ્થામાં ગુણકારી છે. અજમાનું તેલ કાનની પીડામાં રાહત આપે છે. અજમા ખરજવામાં પણ લાભપ્રદ છે. અજમાનું પાણી પીવાથી સંધિવામાં રાહત મળે છે. અજમાનું પાણી ઉધરસમાં રાહત આપે છે. અજમાના ઉપયોગથી ખીલની સમસ્યા પણ દૂર થાય છે.
આ ઉપરાંત પણ અજમાના ઘણા બધા ફાયદાઓ વિષે પણ જાણીએ.
અજમાથી દૂર થાય છે શરદી-ઉધરસથી લઈને લીવરની સમસ્યાઓ
આપણે આપણા રસોડામાં ઘણા બધા વ્યંજનોમાં અજમાનો ઉપયોગ કરીએ છીએ. તે ખુબ જ લાભપ્રદ હોવાથી આપણે ઇચ્છવા છતાં તેને અવગણી શકતા નથી. કેટલાક ઘરોમાં તો અજમાનો ખાટો-મીઠાવાળો મુખવાસ પણ બનાવી રાખવામાં આવે છે જેને હંમેશા જમ્યા બાદ લેવામાં આવે છે. તેનાથી પાચનતંત્ર સારું રહે છે. તો ચાલો જાણીએ અજમાના બેનિફિટ્સ.
આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે – અજમા પાચક, તીખા, ગરમ, કડવા, શુક્રાણુઓ (સ્પર્મ)ના દોષને દૂર કરનારા, વીર્ય જનક, હાર્ટ માટે ગુણકારી, કફનો નાશ કરનારા, ગર્ભાશયને ઉત્તેજિત કરનારા, તાવ દૂર કરનારા, ઉલટી, પેટના રોગો, સાંધાના દુખાવા આ બધી જ સમસ્યાઓને દૂર કરનારી એક જડીબુટ્ટી જ છે.
જો તમે મેદસ્વિતાથી પરેશાન થઈ ગયા છો તો તેવામાં, અજમાનુ સેવન કરો, તેનાથી મેદસ્વીતામાં ઘટાડો થાય છે. અજમાને મધ સાથે નિયમિત લેવાથી પથરીની સમસ્યા પણ દૂર થાય છે. હળદરની જેમજ અજમા પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ લાભપ્રદ છે કારણ કે તે ફુગ સંક્રમણથી બચાવે છે. આ ઉપરાંત નીચે પણ અજમાના વિવિધ લાભો બાબતે મહિતી આપવામાં આવી છે જે જરૂર વાંચો.
અજમાનું પાણી પણ જો રોજ સવારે ઉઠીને ખાલી પેટે પીવામાં આવે તો તેનાથી સંપૂર્ણ શરીરને ફાયદો થાય છે.
ઉધરસ:
અજમાના રસમાં 2 ચપટી સંચળ ભેળવી તેનું સેવન કરવું. ત્યાર બાદ ગરમ પાણી પીવું. તેનાથી ઉધરસ મટી જશે.
કાળી ઉધરસ :
જો તમે કાળી ઉધરસથી પરેશાન હોવ તો અજમાના રસમાં સરકો અને મધ મિક્સ કરીને દિવસમાં બે વાર સેવન કરવાથી રાહત મળશે.
શરદી :
આ ઋતુમાં બંધ નાક અને શરદી થવી તે સામાન્ય છે. તેવામાં અજમાને વાટી કપડામાં બાંધી લો. પછી તેને સુંઘો તેનાથી ખુબ રાહત મળશે. આ ઉપરાંત થોડા અજમા બરાબર ચાવી લો અને પછી તેને પાણીથી ગળી જાઓ.
પેટમાં ગડબડ:
જો કોઈ કારણસર પેટમાં ગડબડ થઈ ગઈ હોય તો અજમા ચાવીને ખાઈ જવા અને પછી ગરમ પાણી પી લેવું. જો પેટમાં કૃમિ હોય તો અજમામાં સંચળ નાખીને પીવો.
મોઢાની બીમરીઓ:
મોઢા સાથે જોડાયેલી બીમારીઓમાં પણ અજમો રાહત આપે છે. જો તમે રોજ સવારે તેનું પાણી પીશો તો દાંતની પીડા અને મોઢાની ગંધ દૂર થશે.
ગર્ભાવસ્થામાં લાભદાયક :
ગર્ભાવસ્થ દરમિયાન સ્ત્રીઓને અજમા જરૂર ખાવા જોઈએ કારણ કે તેનાથી માત્ર લોહી શુદ્ધ નથી થતું પણ તે સમગ્ર શરીરમાં લોહીના પ્રવાહને સંચાલિત પણ કરે છે.
અજમાનું પાણી પીવાના ફાયદા:
સંધિવાના દર્દીને અજમાના ચૂરણની પોટલી બનાવી સેકવાથી પીડામાં રાહત મળે છે. અરધો કપ અજમાના રસમાં અરધી ચમચી પીસેલું સુકુ આદું અને પાણી મિક્સ કરી પીવું. તેનાથી સંધિવાનો રોગ ઠીક થાય છે.
અજમાના અન્ય લાભો:
અજમાથી પાચનશક્તિ મજબૂત થાય છે.
અજમાથી ઉલટીમાં રાહત મળે છે.
અજમાનું તેલ કાનની પીડામાં રાહત આપે છે
અજમા ખરજવામાં પણ લાભપ્રદ છે.
અજમાનું પાણી પીવાથી સંધિવામાં રાહત મળે છે
અજમાનું પાણી ઉધરસમાં રાહત આપે છે
અજમા ખીલને દૂર કરે છે
અજમા પેઢા માટે પણ લાભ પ્રદ છે
અજમા ખાટા ઓડકારમાં પણ રાહત આપે છે
અજમા કીડની માટે પણ ગુણકારી છે
અજમાનું પાણી પીવાથી શરદીમાં રાહત મળે છે.
અજમા અસ્થમાની બીમારીમાં પણ રાહત આપે છે.
માસિક ધર્મ વખતની પીડામાં અજમા રાહત આપે છે.
અજમાનું પાણી એસિડિટીમાં રાહત આપે છે.
અજમાનું પાણી વજન ઘટાડે છે.
લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી
શેર કરો આ આરોગ્યવર્ધક માહિતી , તેમજ આવી અવનવી માહિતી મેળવવા આજે જ લાઇક કરો અમારું પેજ.