આજની ફાસ્ટ લાઈફમાં બધાને કાંઈક એવું જોઈતું હોય કે તેમનું કામ સરળ અને સારું થાય તો ચાલો જોઈએ રસોડાની ટિપ્સ.
* ભાત રાંધતી વખતે તેમાં 2-3 ટીપાં ઘી અને લીંબુ નાખવાથી ભાત સફેદ અને છુટ્ટા થાય છે.
* પરોઠાની કણકમાં જીરું અને અજમો નાખવાથી સ્વાદિષ્ટ થાય છે .જીરું અને અજમાને પાટલી અને વેલણથી થોડું ક્રશ કરીને નાખવું જેથી સ્વાદ અને સ્મેલ ખૂબ જ સરસ આવશે.
* રોટલીની કણક બાંધતી વખતે તેમાં 1 ચમચો દૂધ નાખવાથી રોટલી ખૂબ જ નરમ બને છે.
* રોટલી, પરાઠા અને થેપલાની કણક બાંધી \ને 15-20 મિનિટ રેસ્ટ આપવાથી તે વધુ સરસ થાય છે.
* રોટલીને ચોખાના અટમણમાં વણવાથી તે સફેદ થાય છે અને વધુ સ્વાદિષ્ટ બને છે.
* થેપલાના કણકમાં દહીં સાથે 1 ચમચી મલાઈ ઉમેરવાથી વધુ પોચા થાય છે અને લાંબા ટાઈમ સુધી ફ્રેશ છે.
* દાળ – ચોખા ધોઈ ને જ પલાળવા જેથી એમાં રહેલા પોષકતત્વો જળવાય રહે.
* ભાત નું પૌષ્ટીક ઓસામણ ફેંકી ના દેતા તેનો ઉપયોગ દાળ બનાવામાં કે રોટલી ની કણક બનાવામાં માં વાપરો. દાળ અને રોટલી વધુ સ્વાદિષ્ટ લાગશે.
*તુવેરદાળ બાફતી વખતે તેમાં ચપટી હળદર અને 2-3 ટીપા તેલ અથવા ઘી ઉમેરવાથી દાળ નો સ્વાદ વધુ સારો આવશે.
* બટેટાને પાણીમાં નાખીને નહીબાફતા તેને વરાળે બાફો જેનાથી બટેટાની મીઠાશ જળવાય રહે છે.
* બધા શાક અને ભાજી પેહલા ધોઈ ને સાફ કરી લેવા અને પછી જ સમારવા જેથી અમુક વિટામિન જે પાણી માં સમારીને ધોવાથી જતા રહે છે એ ના જાય.
* તમારા ઘરે પાણીપુરીમાં ફુદીનાનું પાણી વધ્યું હોય તો પરાઠાની કણકમાં ઉમેરી દો પરાઠા બહુ જ ટેસ્ટી બની જશે.
* બાજરીના રોટલામાં છાશની પરાશથી લોટ બાંધો તો વધુ સરસ ટેસ્ટ આવે છે.
* કોઈ પણ મીઠાઈ બનાવતી વખતે ઈલાયચી ગેસ બંધ કરતા પહેલા જ ઉમેરો એનો સ્વાદ અને સુગંધ બહુ જ સારી આવશે.
* ચણા અને રાજમાં જેવા કઠોળ ને રાતે થોડા હૂંફાળા પાણી માં પલાળવાથી સવારે જલ્દી થી બફાઈ જાય છે.
*મરચાં ના ડિટીયા ને કાઢી ને એર ટાઈટ ડબ્બા માં ભરવાથી 15-20 દિવસ સરસ રહે છે.
* પ્રેશર કુકરમાં પુલાવ બનાવો હોય તો થોડું પાણી ઓછું મુકો અને એક જ સીટી વગાડી ને કુકર તરત ખોલી નાખો જેથી એ સરસ છુટ્ટા થશે અને બહુ ગળી પણ નહીં જાય.
* કોથમીરને સાફ કરી ને પાતળા કપડાં માં વીંટાળી ને પ્લાસ્ટિક ની કોથળી માં મુકવાથી 7-8 દિવસ સુધી સારી રહે છે.
* મેથી અને ફુદીના ના પાન ચૂંટી ને કોરા જ પ્લાસ્ટિક ની કોથળી માં પેક કરી લેશો તો 8 – 10 દિવસ એવા જ રહેશે.
* ડ્રાયફ્રુટ ને એર ટાઈટ ડબ્બા માં કે ઝિપલોક બેગ માં ભરી ને ફ્રીઝ માં રાખવાથી આખું વર્ષ એવા જ રહેશે.
*કટલેટ અને ટીક્કી બનાવતી વખતે 1 ચમચી ચોખા નો લોટ ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ બને છે.
લેખન સંકલન : જલ્પા મિસ્ત્રી
દરરોજ અવનવી ટીપ્સ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.